Description
તેજજ્ઞાનના પ્રકાશમાં
સંપૂર્ણ ભગવદ્ગીતા
જીવનની અઢાર યુક્તિઓ
ગીતા જ્ઞાન રહસ્ય
ગીતા એક એવો આધ્યાત્મિક ગ્રંથ છે, જે સદીઓથી સત્ય સાધકો ઉપરાંત સંસારીઓ અને દાર્શનિકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. સમયાંતરે ગીતાને વિશ્વના વિભિન્ન દાર્શનિકોએ, રચનાકારોએ પોતાની ભાષામાં, પોતાના દ્રષ્ટિકોણથી, પોતાની સમજ સાથે વારંવાર રજૂ કરી છે. આવો જ એક પ્રયાસ તેજજ્ઞાન ફાઉન્ડેશને પણ કર્યો છે. પ્રસ્તુત ગીતામાં શ્રીકૃષ્ણની વાણીને તેજજ્ઞાનના પ્રકાશમાં લાવવામાં આવી છે જેથી તેની પાછળ છુપાયેલી સાર્થક સમજને સરળ સ્વરૂપમાં વાંચકો સુધી પહોંચાડી શકાય.
ગીતા ફક્ત અર્જુનની શંકાઓને દૂર નથી કરતી, તે દરેક એ મનુષ્યને રસ્તો બતાવે છે, જે રોજ કોઈને કોઈ સમસ્યા રૂપી યુદ્ધમાં ફસાય છે. આ એક એવી યુક્તિ છે, જેનાથી આપના સંઘર્ષો એક રમત બની જશે, આપની જવાબદારીઓ ફક્ત સરળતાથી પૂર્ણ થશે એટલું જ નહીં પરંતુ આપના માટે આનંદ અને મુક્તિનું કારણ પણ બનશે. પોતાની કોઈપણ સમસ્યાના જવાબ માટે આપે બીજે ક્યાંય જવાની જરૂર નથી, ગીતામાં બધા જ જવાબો મળી જશે. આમાં આપ જાણશો જીવનની અઢાર યુક્તિઓ-
* અસમંજસતા (દુવિધા) માટે યુક્તિ
* પરમ શાંતિ માટે યુક્તિ
* કાયમી ઉપાય મેળવવાની યુક્તિ
* વિવશતા (અવિશ્વાસ) માટે યુક્તિ
* પૂર્ણ યોગી યુક્તિ
* સત્-ચિત્ત મન યુક્તિ (SCM)
* અજ્ઞાન માટે યુક્તિ
* સદ્ગતિ યુક્તિ
* અસાધારણ સમર્પણ યુક્તિ
* ઉપાસના યુક્તિ
* અહમ્ બ્રહ્માસ્મિ યુક્તિ
* ઈશ્વરપ્રિય બનવાની યુક્તિ (Dear of God)
* વાસ્તવિક જીવન જીવવાની યુક્તિ
* આળસ દૂર કરવાની યુક્તિ
* ઉત્તમ પુરૂષોત્તમ યુક્તિ
* શાસ્ત્ર અનુકૂળ કર્મ યુક્તિ
* શ્રદ્ધાયુક્ત યુક્તિ
* અંતિમ યુક્તિ-શુભક્તિ
ગીતા એ સુકાન છે, જેની મદદથી અર્જુનની હોડી કર્તવ્યબોધ અને સ્વબોધના બે કિનારા પર એક સાથે લાગી. આજે આ સુકાન આપને મળવા જઈ રહ્યું છે. પોતાના જીવનની યાત્રા આ સુકાનની મદદથી પાર કરશો તો હંમેશા મુક્ત અને ખુશ





Reviews
There are no reviews yet.